મોરબી : વાવાઝોડાના પગલે ડો.મનિષ સનારીયા, એકતા એજ લક્ષ્ય સંગઠન, નિરાધારનો આધાર ગૃપ દ્વારા ઈમરજન્સી સેવા આપવામાં આવશે
SHARE
મોરબી : વાવાઝોડાના પગલે ડો.મનિષ સનારીયા, એકતા એજ લક્ષ્ય સંગઠન, નિરાધારનો આધાર ગૃપ દ્વારા ઈમરજન્સી સેવા આપવામાં આવશે
સંભવિત વાવાઝોડાંને પગલે સ્પર્શ બાળકોની હોસ્પિટલ ડો.મનીષ સનારીયા તથા તેમના આસિસટન્ટ ડોક્ટર દ્વારા નવજાત બાળક અને નાના બાળકો માટે સામાન્ય કોઈપણ દવા વિશે માહિતી જોઈતી હોય જે આ વાવાઝોડાને લીધે દૂરથી આવી ન શકાય એમ હોય તો આ હોસ્પિટલ તરફથી એક ઇમર્જન્સી ફોન નંબર જાહેર કરવામાં આવે છે જેમાં ફોન દ્વારા તમને અમારા તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે.તા.૧૫/૧૬/૧૭-૬-૨૦૨૩ દરમિયાન ખાસ ઈમરજન્સી બાળકો માટે નંબર જાહેર કરવામાં આવે છે તે ખાસ મોરબી અને મોરબીના આસપાસના વિસ્તારના લોકોએ આ ઈમરજન્સી નંબર પર સંપર્ક કરી સારવાર મેળવી શકે છે.ઈમરજન્સી મો.નં-૯૫૭૪૧૪૩૩૫૨ ઉપર સંપર્ક કરવો.
એકતા એજ લક્ષ્ય સંગઠન
વાવાઝોડા માટે મદદરૂપ થવા એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી ટીમ તત્પર હોય તેમણે પણ કોઇપણ મદદ માટે ભગીરથસિંહ રાઠોડ 8980862915, હસમુખભાઈ અગોલા 9825962471, ધવલભાઈ રામાણી 9157871112,મહિદીપસિંહ 6353289309, હાર્દિક પટેલ : 9662001478, જયદિપસિંહ 9638084114, પંકજભાઈ અગોલા 9825534825 નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
નિરાધારનો આધાર ગૃપ
નિરાધારનો આધાર ગૃપે મોરબી જિલ્લામાં વાવાઝોડાના લીધે કોઈપણ જગ્યાએ મદદની જરૂર હોય તો ગૃપનો કોન્ટેક્ટ કરવા જણાવીને લોકો માટે રહેવા તથા જમવા માટે વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતુ.તે માટે પંકજ આદ્રોજા 9033191250, જેનીથ ચડાસણીયા 9662290022, દિવ્યેશ મગુનીયા 9265656022, રમેશ સદાતીયા 9586712421, શૈલેષ પડસુબીયા 9909595955 નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.