મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

ટંકારા ફલડ કંટ્રોલ રૂમે ધારાસભ્ય દુર્લભજીભાઇની હાજરી, હળવદમાં વીએચપી, બજરંગદળ, આરએસએસ અને યુવા ગૃપ દ્વારા આશ્રિતોની સેવા


SHARE









ટંકારા ફલડ કંટ્રોલ રૂમે ધારાસભ્ય દુર્લભજીભાઇની હાજરી, હળવદમાં વીએચપી, બજરંગદળ, આરએસએસ અને યુવા ગૃપ દ્વારા આશ્રિતોની સેવા

ટંકારા મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાં અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ મુલાકાત લઈ મીટીંગ યોજી હતી.ટંકારા ખાતે સંગઠનના હોદ્દેદારો મળીને તમામ ગામોની એક-એક કલાકની બેક ટુ બેક માહિતી મેળવીને જરૂરી તમામ કામગીરી કરી હતી. ઉપરાંત તેમના દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય અને અધિકારીઓએ લોકોને બીન જરૂરી ઘરની બહાર ન નિકળવા અપીલ પણ કરી છે.તમામ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહીને વાવાઝોડાને લઇને જનહિત કાજે લાગી ગયા હતા.

વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ દ્વારા સેવા

રાજ્યમાં મંડરાતા બિપરજોય વાવાઝોડાના સંકટ સામે  મોરબી જિલ્લાનાં હળવદમાં આશ્રિતોને આશ્રયસ્થાન આપવામાં આવ્યું છે.ત્યારે આશ્રય મેળવેલા આશ્રિતોને ભોજનની વ્યવસ્થા વીએચપી, બજરંગદળ, આરએસએસ અને હળવદ યુવા ગૃપ તરફથી કરવામાં આવી હતી.તેમજ
હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠા વાળા વિસ્તારની મુલાકાત દરમિયાન વવાણીયા, રામબાઈ મંદિર ખાતે એસડીઆરએફના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ ઉપલબ્ધ સાધન સામગ્રી વિશે માહિતી મેળવી હતી. એસડીઆરએફના અધિકારીએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે સુરક્ષા કામગીરી સાથે હાલ અમે ગામમાં વાવાઝોડા બાબતે ડુઝ અને ડોન્ટઝ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.






Latest News