માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં
SHARE
માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં
મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં વાવાઝોડાના લીધે ફુકાયેલા ભારે પવનના કારણે ઘણા વિસ્તારમાં કારખાનાના પતરાં ઊડી ગયા હતા જેથી કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, હાલમાં પવનના લીધે કારખાનેદારોને નુકશાન થયું છે
ગુજરાતના દરિયાકાંઠે ગઇકાલે મોડી રાતે વાવાઝોડું અથડાયુ હતું ત્યારે જો મોરબી જિલ્લાને વાવાઝોડાની અસરની વાત કરીએ તો ત્યાં સીધી કોઈ અસર નથી જો કે, ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ નુકશાની થઈ છે તેની સાથો સાથ કારખાનાના પાતરા પણ ઊડી ગયા હતા જેમાં વાવાણિયા અને લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડી જવાના ગોડાઉનમાં નુકશાન થયેલ છે સાદ નસીબે કારખાના જ બંધ હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે પછી કોઈને ઇજા થયેલ નથી









