આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

હળવદના દેવીપુરમાં મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન દેવા પિતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું


SHARE













હળવદના દેવીપુરમાં મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન દેવા પિતાએ ઠપકો આપતા સગીરાએ અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતી સગીરાને ધો. ૧૦ પાસ કરીને ૧૧ માં આવેલ સગીરાને તેના પિતાએ તેને મોબાઈલ આપવાની ના પાડી હતી અને ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું જેથી કરીને તે સગીરાને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતાને ખેતી કામ કરતા મહેશભાઈ કરસનભાઈ તારબુંદીયા જાતે દલવાડી (૪૦) ની ૧૬ વર્ષની દીકરી માધવીબેન તારબુંદીયા જાતે દલવાડીએ પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મહેશભાઈ તારબુંદીયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા માધવીબેનને ધોરણ ૧૦ માં ૫૭ ટકા મળેલા હોય ધો. ૧૧ માં આવી હતી અને તેને મોબાઈલનો વધુ પડતો રસ હતો જેથી તેના પિતાએ મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ પોતાના ઘરની અંદર સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં પોલીસે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News