મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત


SHARE







માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના અર્જુનનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા યુવાનને વાડીની અંદર કામ દરમ્યાન કોઈ ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબી સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણવા મળચી વિગતો મુજબ માળિયાના અર્જુનનગર ગામે ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરાની વાડીએ ખેત મજૂરીનું કામ કરતા મુકેશ તેરસિંગભાઈ સોલંકી (ઉમર ૨૦) નામના યુવાનને વાડીએ કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી મુકેશનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સ્કુટરની ચોરી

વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પાર્ક કરેલા એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦ હજાર રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ ચોક પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકીયા જાતે જૈન (ઉમર ૩૫) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ જે ૯૯૧૪ પાર્ક કરીને મૂક્યું હતું.જે ૨૦ હજાર  રૂપિયાની કિંમતનું એકટીવા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા તાલુકામાં આવેલ નવી નવલખી ખાતે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા હનીફભાઈ જહાંગીરભાઈ જામ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News