રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત


SHARE









માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના અર્જુનનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા યુવાનને વાડીની અંદર કામ દરમ્યાન કોઈ ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબી સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણવા મળચી વિગતો મુજબ માળિયાના અર્જુનનગર ગામે ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરાની વાડીએ ખેત મજૂરીનું કામ કરતા મુકેશ તેરસિંગભાઈ સોલંકી (ઉમર ૨૦) નામના યુવાનને વાડીએ કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી મુકેશનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સ્કુટરની ચોરી

વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પાર્ક કરેલા એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦ હજાર રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ ચોક પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકીયા જાતે જૈન (ઉમર ૩૫) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ જે ૯૯૧૪ પાર્ક કરીને મૂક્યું હતું.જે ૨૦ હજાર  રૂપિયાની કિંમતનું એકટીવા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા તાલુકામાં આવેલ નવી નવલખી ખાતે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા હનીફભાઈ જહાંગીરભાઈ જામ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News