મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત


SHARE













માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના અર્જુનનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા યુવાનને વાડીની અંદર કામ દરમ્યાન કોઈ ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબી સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણવા મળચી વિગતો મુજબ માળિયાના અર્જુનનગર ગામે ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરાની વાડીએ ખેત મજૂરીનું કામ કરતા મુકેશ તેરસિંગભાઈ સોલંકી (ઉમર ૨૦) નામના યુવાનને વાડીએ કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી મુકેશનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સ્કુટરની ચોરી

વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પાર્ક કરેલા એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦ હજાર રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ ચોક પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકીયા જાતે જૈન (ઉમર ૩૫) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ જે ૯૯૧૪ પાર્ક કરીને મૂક્યું હતું.જે ૨૦ હજાર  રૂપિયાની કિંમતનું એકટીવા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા તાલુકામાં આવેલ નવી નવલખી ખાતે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા હનીફભાઈ જહાંગીરભાઈ જામ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News