રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી યાર્ડમાં આજથી હરરાજી સહિતની કામગીરી શરૂ: જણસીના ભાવ પૂરા મળતા ખેડૂતો ખુશખુશાલ


SHARE









મોરબી યાર્ડમાં આજથી હરરાજી સહિતની કામગીરી શરૂ: જણસીના ભાવ પૂરા મળતા ખેડૂતો ખુશખુશાલ

મોરબી યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને નુકશાન ન થાય તે માટે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને યાર્ડને બંધ કરવામાં આવ્યું હતી જો કે, સોમવારથી મોરબીના યાર્ડમાં ફરી પછી હરરાજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતોને માલનો પૂરો ભાવ આવતો હોવાથી ખેડૂતોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેથી કરીને ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં જણસીની હરરાજીનું કામ બંધ કરવામાં આવ્યું હતું જો કે, હવે વાતાવરણ ખુલ્લુ થઈ ગયેલ છે અને નવલખી પોર્ટ સહિતના સ્થળોએ કામ કાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજથી મોરબીના શનાળા રોડ  ઉપર આવેલ માર્કેટ યાર્ડ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી, માળીયા અને તનકરા તાલુકાનાં ખેડૂતો તેનો માલ લઈને હરરાજીમાં આવ્યા હતા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેથી મોરબીમાં માર્કેટ યાર્ડમાં મોરબી, માળીયા અને તનકરા તાલુકાનાં ખેડૂતો માલ લઈને આવે અને તેના માલને નુકશાન ન થાય તે માટે યાર્ડને બંધ કરવામાં આવેલ હતું જો કે, સોમવારથી યાર્ડને શરૂ કરવામાં આવ્યું છે તેવું યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયાએ જણાવ્યુ છે અને હાલમાં જીરૂ, તલ, ચણા, એરંડા, જાર, ઘઉં સાહિતની જણસી લઈને ખેડૂતો યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા

જો કે, હજુ પણ વાતાવરણ વરસાદી હોવાથી યાર્ડના સંચાલકોએ ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા માટેની ભલામણ કરેલ છે અને જે વેપારીઓએ માલની ખેડૂતો પાસેથી ખરીદી કરી લેતા હોય છે તેઓને પણ તેનો માલ પોતાના ગોડાઉનમાં અથવા સુરક્ષીત જગ્યાએ રાખવા માટેની યાર્ડના સંચાલકોને સૂચના આપવામાં આવી છે






Latest News