મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

પોલીસની ખાસ વ્યવસ્થા ?: મોરબી જિલ્લામાં લાખોની સરકારી નાણાની ઉચાપત કરનાર શિક્ષકો કેમ હજુ પોલીસ પકડથી દૂર !


SHARE









પોલીસની ખાસ વ્યવસ્થા ?: મોરબી જિલ્લામાં લાખોની સરકારી નાણાની ઉચાપત કરનાર શિક્ષકો કેમ હજુ પોલીસ પકડથી દૂર !

વાંકાનેર તાલુકાના શિક્ષણ વિભાગમાં શિક્ષકો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની ડીપીઇઓએ ફરિયાદ નોંધાવી તેને ૧૫ દિવસથી વધુનો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી આરોપી પકડાયેલ નથી જેથી કરીને વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં ૫૩.૧૫ લાખની સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણેય શિક્ષકોને આગોતરા માટે કોઈ કાર્યવાહી કરવી હોય તો તેના માટેની મોકળાશ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે કે કેમ તે તપાસનો વિષય છે

વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતુ જેથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ આંબરીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે ૫૩,૧૫,૪૫૧ ની ઉચાપતની ફરિયાદ નોંધાયેલ છે જેમાં અરવિંદભાઇ પરમાર રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી, અબ્દુલભાઈ સેરશિયા રહે, વાંકિયા વાંકાનેર અને હિમાંશુભાઈ પટેલ રહે, ભાટીયા સોસાયાટી વાંકાનેર વાળાનો સમાવેશ થાય છે

આ આરોપીઓએ પગાર બિલ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, સિલેક્શન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બનાવટી બિલ બનાવીને આ કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે જોકે જે ત્રણ જ શિક્ષકોની સામે ગત તા ૩/૬ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે હજુ સુધી પોલીસના હાથે પકડાયેલ નથી અત્રે ઉલેખનીય છે કે, ટંકારામાં સરકારી પંચરોજ કામને એક લાખમાં વેચવાની જે ફરિયાદ નોંધાઈ હતી તે આરોપીએ પણ આગોતરા જામીન માટે અરજી મૂકી હતી તેને રદ કરવામાં આવી ત્યાં સુધી તેની ધરપકડ કરવામાં આવી ન હતી આવી જ રીતે આમાં પણ આ શિક્ષકો માટે આગોતરા જામીન માટેનો માર્ગ મોકળો રાખવામા આવ્યો હોવાનો ગણગણાટ હાલમાં વાંકાનેર અને શિક્ષણ વિભાગમાં થઈ રહ્યો છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ મનીષ કાંટા નજીકથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે કલજીભાઈ કાળુભાઈ ગામડ (૩૦) અને મનીષ સુરેશભાઈ (૨૨) રહે બંને એકયુરા સીરામીક પાવડીયારી જેતપર રોડ મોરબી વાળાને ઇજા થયેલ હોવાથી તે બંનેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આંગળી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News