મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 


SHARE













મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 

મોરબી તાલુકાનાં અણીયારી ગામે પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામા આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે અને ગામના મહિલા સરપંચનો દીકરો જ બધો વહીવટ કરતો હોવાથી તે પછાત વર્ગના લોકોને ધમકાવે છે અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે તેવી કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

હલમ અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુભાઈ ગડેશિયા સહિતના લોકોને કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, અણીયારી ગામના મહિલા સરપંચનો દીકરો જ પંચાયતનો વહીવટ કરે છે અને પછાત વર્ગના લોકોની સાથે રાગદ્રેષ રાખીને મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી તેને સરપંચનો દીકરો વંચિત રાખે છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રોડ રસ્તા, ભૂગર્ભ, ૧૦૦ વારના પ્લોટ સહિતની બાબતોમાં અન્યાય કરવામાં આવે છે અને પછાત વર્ગના લોકોની સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરવામાં આવે છે જેથી કરીને પછાત વર્ગના લોકોને સુવિધા ન આપીને ધમકાવતાં સરપંચના દીકરાની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.








Latest News