મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 


SHARE









મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 

મોરબી તાલુકાનાં અણીયારી ગામે પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામા આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે અને ગામના મહિલા સરપંચનો દીકરો જ બધો વહીવટ કરતો હોવાથી તે પછાત વર્ગના લોકોને ધમકાવે છે અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે તેવી કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

હલમ અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુભાઈ ગડેશિયા સહિતના લોકોને કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, અણીયારી ગામના મહિલા સરપંચનો દીકરો જ પંચાયતનો વહીવટ કરે છે અને પછાત વર્ગના લોકોની સાથે રાગદ્રેષ રાખીને મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી તેને સરપંચનો દીકરો વંચિત રાખે છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રોડ રસ્તા, ભૂગર્ભ, ૧૦૦ વારના પ્લોટ સહિતની બાબતોમાં અન્યાય કરવામાં આવે છે અને પછાત વર્ગના લોકોની સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરવામાં આવે છે જેથી કરીને પછાત વર્ગના લોકોને સુવિધા ન આપીને ધમકાવતાં સરપંચના દીકરાની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News