મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE









 

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના ખોઝાખાના પાસે રહેતા વૃદ્ધ વાવાઝોડાના કારણે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ દેસુરભાઇ તરેટીયા (૬૦) ગત તા. ૧૫/૬ ના રોજ બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે વાવાઝોડાના કારણે તેઓ પડી ગયા હતા અને તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને રાજકોટ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ઈમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી જોકે, સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે






Latest News