મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં PGVCL ની બેદરકારીના લીધે ઇલેક્ટ્રિક શોટથી બે વર્ષના બાળકનું મોત..? : માતા સારવારમાં


SHARE













મોરબીમાં PGVCL ની બેદરકારીના લીધે ઇલેક્ટ્રિક શોટથી બે વર્ષના બાળકનું મોત..? : માતા સારવારમાં

મોરબીના સામાકાંઠે લાભનગરમાં બે વર્ષના બાળકને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત નિપજયુ છે તેમજ તેની માતાને પણ ઇલેક્ટ્રિક શોટ લાગેલ હોય તેણીને સારવારમાં લઇ જવામાં આવી હોવાનું  મળેલ છે. આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપરના લાભનગરમાં રહેતા બટુકભાઈ જોશીના બે વર્ષના દિકરા રાજેશને તેના ઘેર ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેને પગલે રાજેશ બટુકભાઇ જોષી (ઉમર ૨) નામના બાળકનું મોત નિપજયુ હતુ. તેમજ તેની માતા મનિષાબેન બટુકભાઈ જોશી (ઉમર ૨૮) રહે.લાભનગર ધરમપુર રોડ વાળીને પણ શોટ લાગ્યો હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં મૃતક બાળકના પિતા બટુકભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે તેઓના પત્ની લોખંડનો પાર્ટીવાળો ખાટલો ગેલેરીમાં કાઢતા હતા ત્યારે તૂટેલા હોલ્ડરમાં લોખંડનો પાયો અડી ગયો હતો જો કે ચાપ બંધ હતી પરંતુ તેઓને ત્યાં રીવર્સ પાવર આવતો હોય શોટ લાગ્યો હતો.જેથી તેમના પત્ની પડી જતા રમતું રમતું બાળક તેની પાસે આવ્યુ હતુ અને તેને પણ શોટ લાગતાં તેનું મોત નિપજેલ છે ખરેખર બનાવ આ મુજબનો છે કે કેમ..? તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનોને રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર ગામ પાસે ડબલ સવારીમાં જતા બાઇકને સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં સાહિલ ભલાભાઇ મકવાણા (૧૭) રહે.મકનસર તેમજ રાજેશ સોંડાભાઇ પરમાર (૧૮) રહે.જાંબુડીયા વાળાઓને ઈજા થતા પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપા બાદ બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના લાતી પ્લોટ પાસેના જોન્સનગર વિસ્તારમાં રહેતા નગમાંબેન ઇમરાનભાઈ પીલુડિયા નામની ૨૨ વર્ષીય મહિલા તેના ઘરે ઘર કંકાશને લીધે ફિનાઈલ પી ગયા હતા જેથી સિવિલે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જણાવેલ છે.જ્યારે મોરબીના માળિયા મીંયાણા ખાતે બસ સ્ટેશન પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા માળિયા(મિં.) ના રહેવાસી હસીનાબેન સુલતાનભાઇ માલાણી નામના ૪૦ 40 વર્ષથી મહિલાને બીજા થતા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.








Latest News