મોરબી જિલ્લા રાજપુત કરણી સેના દ્વારા વિજકંપનીના સ્ટાફનું સન્માન કર્યું-શાળામાં સ્ટેશનરીનું વિતરણ
SHARE
મોરબી જિલ્લા રાજપુત કરણી સેના દ્વારા વિજકંપનીના સ્ટાફનું સન્માન કર્યું-શાળામાં સ્ટેશનરીનું વિતરણ
વાવાઝોડામાં પોતાના જીવના જોખમે રાત દિવસ જે મોરબી જીઈબીના કર્મચારીઓએ સેવા આપી છે ત્યારે ઘુટુ વિસ્તારના જીઈબીના કર્મચારીઓએ સેવા આપી તેને ધ્યાને લઈને રાજપૂત કરણી સેનાની મોરબી જિલ્લાની ટીમે જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું ત્યારે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા, શહેરમંત્રી રવિરાજસિંહ જાડેજા, શહેર સહમંત્રી મિહિરસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા આ ઉપરાંત રાજપુત કરણી સેના મોરબી જીલ્લા ટીમ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળામાં ભણતા બાળકોને શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય અને આર્થિક રીતે નબળા બાળકોને મદદ થાય એ માટે સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને મોરબી તાલુકાના મધુપુર ગામે સરકારી શાળામાં બાળકો માટે પ્રવેશ ઉત્સાહ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં જિલ્લાની ટીમે હાજરી આપી હતી અને બાળકોને સ્કૂલબેગ, બુક, સ્ટેશનરી અને પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા હતું અને શાળાના આચાર્ય કાનાભાઇ રાઠોડ તેમજ બ્રિજેશભાઈ બોરીચાનું સન્માન કરવામાં આવ્યું હતું હતા. ત્યારે પણ જિલ્લાના પ્રમુખ મનોજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા