મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકનું વહેચાણ થતુ અટકોવો : ગ્રાહક સુરક્ષા મંડળ
SHARE
મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકનું વહેચાણ થતુ અટકોવો : ગ્રાહક સુરક્ષા મંડળ
મોરબી જીલ્લામાં નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાનુ વેચાણ કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકશાની આવે છે જેથી કરીને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા હાલમાં આ મુદે કલેક્ટર અને ખોરાક અને ઔષધ અધિકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે
નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાનુ વહેચાણ થઇ રહયું છે હવે વરસાદની સીઝન શરૂ થશે ખેડૂતો ને ખેતી માટે જરૂર પડશે અને દર વરસે ખેડૂતોના પાકને નુકશાન થાય છે આવા નકલી બીયારણ અને ખાતરને કારણે ખેડૂતોને શોષવુ પડે છે માટે વર્ષ આખાની ખેડૂતની મહેનત એળે નો જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયારણ, ખાતર ને કારણે ખેડુતો શોષવુ પડે છે. માટે વર્ષ આખાની ખેડુતની મહેનત એળે ન જાય તે માટે અત્યાર થી તપાસ કરવી જોઇએ. સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયરાણ, ખાતર અને જંતુનાશક દવાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ ખેડૂતો પણ કોઇપણ વસ્તુની ખરીદી કરે તો વેપારી પાસેથી બીલ લેવાનો આગ્રહ રાખે વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી છે આગામી સીઝનમાં ખેડૂતો છેતરાઇ નહી તે બાબતે નબળી ગુણવતા વાળી દવા-ખાતર-બીયારણની તપાસ કરવી જરૂરી છે તેવી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ખોરાક અને ઔષધ અધિકાર-મોરબી, જીલ્લા વિકાસ અધિકારી -મોરબી અને જીલ્લા કલેકટર-મોરબીને રજૂઆત કરવામાં આવેલ છે.