મોરબી : લાયસન્સવાળુ હથીયાર ફોટો પાડવા આપતા પહેલા સાવધાન, ધરપકડ પણ થઇ શકે
Morbi Today
મોરબીના પરશુરામ ધામે ડો. અતુલભાઈ પંડ્યાનું કરાયું સન્માન
SHARE
મોરબીના પરશુરામ ધામે ડો. અતુલભાઈ પંડ્યાનું કરાયું સન્માન
મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ભાજપા ડોક્ટર સેલ ગુજરાતના અગ્રણી અને જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલભાઈ પંડ્યા આવ્યા હતા અને તેઓએ ત્યાં પરશુરામ દાદાની આરતીનો લાભ લીધો હતો અને તેઓનું બ્રહ્મઅગ્રણી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, ભાજપા ડોક્ટર સેલના ડો. આશિષભાઈ ત્રિવેદી, ભાજપા અગ્રણી ભાણજીભાઈ, મુકુંદરાય જોશી, મુકેશભાઈ જોશી, મુકેશભાઈ જોશી, રાજુભાઈ પંડ્યા, દિનુભાઈ પંડ્યા, મિલન દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









