મોરબીમાં સગર્ભા મહિલાને છોડીને પતિ ચાલ્યો જતાં અભયમ ટીમે આશ્રય અપાવ્યો
SHARE
મોરબીમાં સગર્ભા મહિલાને છોડીને પતિ ચાલ્યો જતાં અભયમ ટીમે આશ્રય અપાવ્યો
મોરબીમાં પીડીત મહિલા દ્વારા ૧૮૧ પર કોલ કરવામાં આવ્યો હતો કે, પીડીત મહિલા સગર્ભા હોય અને તેમના પતિ મુકીને જતા રેહલા હોય માટે મદદની જરૂર છે. ત્યાર બાદ તાત્કાલિત ૧૮૧ મોરબી લોકશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રીટાબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પોહચેલ અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તેમને પેહલા સાંત્વના આપેલ હતી ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમા મહિલાએ જણાવેલ કે, તેઓ મધ્યપ્રદેશના હોય બાર મહિનાથી મોરબીમાં અહીંયા કંપનીમા કામ કરે છે અને કંપનીમાં જ રહે છે હાલમાં મહિલા સગર્ભા છે ત્યારે તેનો પતિ તેને ત્રણ દિવસથી છોડીને ચાલ્યો ગયેલ છે જેથી મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને લાંબાગાળાની કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી મોરબી સખી વન સેન્ટરમા આશ્રય અપાવેલ છે