મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ


SHARE







માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ૧૫ થી વધુ ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ માળીયા તાલુકાના ગામની મુલાકાત લીધી હતી અને ત્યાં સ્થાનિક લોકો ની રજૂઆતો સાંભળ્યા બાદ પીવાના પાણીની લાઈન માંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે આદેશ કર્યો છે તેની સાથોસાથ જે ગામમાં પાણી નથી પહોંચતું ત્યાં તાત્કાલિક અસરથી ટેન્કર શરૂ કરીને લોકોને પીવાનું પાણી સમયસર પહોંચાડવા માટે સૂચના આપેલ છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકા પૈકીના માળિયા મીયાણા તાલુકાના ૧૫ જેટલા ગામમાં પીવાના પાણીની લાઈન ગામ સુધી પહોંચી ગઇ છે પરંતુ ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોય અથવા તો અનિયમિત મળતું હોય તેવી ઘણી બધી ફરિયાદો મળતી હોય જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે મોરબી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારે માળિયા મીયાણા તાલુકામાં આવતા વવાણીયા ગામે રામબાઈ માતાજીના મંદિર ખાતે સ્થાનિક જુદા જુદા ગામના આગેવાનો અને મહિલાઓ સહિતનાઓની રજૂઆત સાંભળી હતી ત્યારે વવાણીય, બોડકીમોટા દહીસરા સહિતના લગભગ 15 થી વધુ ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી લોકોને ન મળતું હોય તેવી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીને ખાસ સુચના આપીને જે ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી ત્યાં સુધી પહોંચતી પીવાના પાણીની લાઈનમાંથી લેવામાં આવેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવા માટે થઈને આદેશ કર્યો છે

આટલું જ નહીં જો ગેરકાયદેસર કનેક્શન લેનારા કામગીરીમાં સહકાર ન આપે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પણ સૂચના આપેલ છે તેમજ જે ગામમાં પીવાના પાણીની વધુ સમસ્યા હોય ત્યાં ગામના લોકોને પીવાના પાણી માટે હેરાન થવું ન પડે તે માટે તાત્કાલિક અસરથી મંજૂરીની અપેક્ષા સાથે પાણીના ટેન્કર મંગળવારથી જ દોડાવવાનું શરૂ કરી દેવા માટે થઈને સૂચના આપવામાં આવેલ છે અને માળિયા અને હળવદ તાલુકામા મીઠાના આગરમાં કામ કરતા અગરિયાઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે થઈને ખાસ યોજના અમલમાં મૂકવામાં આવશે તેવું પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે અને તાત્કાલિક અસરથી આ યોજના માટેના કામને હાથ પર લેવા માટે અધિકારીને ભાર પૂર્વક કરવામાં આવ્યું છે આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઇ હુંબલ તેમજ જેઠાભાઇ મિયાત્રા, તપનભાઈ દવે, મણિભાઈ સરડવા, ગોપાલભાઈ સરડવા તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News