માળીયા (મી) તાલુકાનાં ૧૫ થી વધુ ગામોને પાણી પહોચડવા પાણીચોરી બંધ કરાવો: કેબિનેટ મંત્રીનો આદેશ
મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી
SHARE
મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી
મોરબીમાં આવેલ પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા પ્રમુખ દ્વારા સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા મોરબી વિધાનસભા વિસ્તારમાં આવેલ છે ત્યારે સર્કિટ હાઉસ ખાતે જીલ્લાના અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ તકે જીલ્લા પ્રમુખ અરજણભાઇ મકવાણા, મહામંત્રી રવીભાઇ ધુમલ, મહામંત્રી દીનેશભાઇ પરમાર, પ્રભારી તેમજ જીલ્લા ભાજપ મંત્રી રસીકભાઇ વોરા, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેઠાભાઈ પારઘી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે સંત કુટીર કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુનુ પણ સન્માન કરી બાપુના આશીર્વાદ લેવાની સાથે નિર્વ્યસની સમાજ નીર્માણ માટે ચોટદાર વક્તવ્ય આપ્યું હતું તેમજ ડો. આંબેડકર કોલોની ખાતે સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા