મોરબીના લાલપર ગામે જુદાજુદા ટ્રકમાંથી છ બેટરીની ચોરી કરનાર આરોપીની ધરપકડ
માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ
SHARE
માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ
મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણ મીઠાના અગરો આવેલ છે અને વાવાઝોડાના લીધે વરસાદ પડતાં મોટું નુકસાન થયું છે ત્યારે આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને માળીયાના મીઠાના અગરોમાં વાવાઝોડાના લીધે થયેલ નુકશાન સામે વળતર આપવાની માંગ કરી છે આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં મીઠાના પાળા વધુ પાણી આવતા ચોવાઈ ગયેલ છે, મીઠાના અગરોને નુકશાન થયું છે જેથી કરીને અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ત્યારે અગરીયાઓને થયેલ નુકસાની સામે વળતર આપવામાં આવે તે જરૂરી છે તેવું અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યુ છે