વાંકાનેરના આદેપર- ઠીકરીયાળી પાસે જુગારની બે રેડ: આઠ જુગારી પકડાયા, ચાર ફરાર
વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત
SHARE
વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં સુતેલ યુવાનને ઝેરી જનાવર કરડી ગયું હતુ જેથી તેને ઝેરી અસર થઈ હતી માટે તે યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પરિવારજનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બાલનગર જિલ્લાના કૂવોનુંહાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આવેલ આરનીયા બાયોડોમ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા વિક્રમભાઈ રમુભાઈ આદિવાસી (૨૫) પોતાની ઓરડીમાં સુતા હતા દરમિયાન તેને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબીમાં રવાપર રેસીડેન્સી ખાતે રહેતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ ભોળા જાતે આદિવાસી (૨૭)એ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. અઘારા ચલાવી રહ્યા છે