મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં સુતેલ યુવાનને ઝેરી જનાવર કરડી ગયું હતુ જેથી તેને ઝેરી અસર થઈ હતી માટે તે યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પરિવારજનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બાલનગર જિલ્લાના કૂવોનુંહાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આવેલ આરનીયા બાયોડોમ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા વિક્રમભાઈ રમુભાઈ આદિવાસી (૨૫) પોતાની ઓરડીમાં સુતા હતા દરમિયાન તેને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબીમાં રવાપર રેસીડેન્સી ખાતે રહેતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ ભોળા જાતે આદિવાસી (૨૭)એ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. અઘારા ચલાવી રહ્યા છે






Latest News