માળીયા (મી) નજીક હિરવા કાંટા પાસે બંધ ટ્રકમાં પાછળથી બોલેરો અથડાતાં અકસ્માત: એકને ઇજા
મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન
SHARE
મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષમાં ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર રતનેશ્વરીદેવી (રામધન આશ્રમ-મોરબી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે
સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા કથાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો પ્રારંભ તા.૮-૧૦-૨૦૨૩ રવિવારને ભાદરવા વદ ૯ થી કરશે અને કથાની પુર્ણાહુતી તા.૧૪-૧૦-૨૦૨૩ શનીવારના રોજ કરવામાં આવશે અને ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન હોય વહેલા તે પહેલાના ધોરણે પોથી નોંધાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે આ પોથી નોંધાવવા તેમજ વધુ માહિતી માટે અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે