મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન
હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત
SHARE
હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મિયાણી ગામે રહેતા પ્રેમી યુગલે ટિકર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાણીમાંથી પ્રેમી યુગલની બોડી મળી આવતા તેને હળવદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતી સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા જાતે કોળી (૧૮) અને મિયાણી ગામે રહેતા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા જાતે કોળી (૨૨) વચ્ચે પ્રેમ સબંધ હતો અને આ પ્રેમી યુગલ રાત્રી સમયે ગુમ થઈ ગયું હતું અને તે બંનેને તેના પરિવારજનો શોધી રહ્યા હતા તેવામાં મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી યુવકનો મોબાઇલ, ચપ્પલ અને બાઈક મળી આવ્યું હતું જેથી કરીને પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને કેનાલમાંથી તે બંનેની બોડી મળી આવી હતી જેથી કરીને સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા અને અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયાની ડેડબોડીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે