મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો


SHARE







હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો

હળવદમાં આવેલ હરિ દર્શન હોટલ પાછળથી નીકળતી ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક મહિલાના દીકરાએ આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં આવેલ શિવાલિકા સોસાયટીમાં રહેતા લલીતાબેન રમણીકભાઈ કાસોડીયા જાતે પટેલ (૫૫) ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ હળવદમાં આવેલ હરિ દર્શન હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ પાણીમાંથી તેના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક મહિલાના દીકરા વિપુલભાઈ રમણીકભાઈ કાસોડીયા (૩૫) રહે શિવાલિકા સોસાયટી વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News