મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે કારખાનામાં દાજી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE













ટંકારાના ઓટાળા ગામે કારખાનામાં દાજી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઓટાળ ગામે ટેક્સટાઇલ્સના કારખાનામાં કોઇ રીતે દાજી ગયેલા યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઓટાળા ગામે કલ્યાણ ટેક્સ ટાઇલ્સ નામના યુનિટમાં રહેતા અર્જુન માનબહાદુર થાપા (ઉમર ૨૧) નામનો નેપાળી યુવાન ગત તા.૨૪-૬ ના રોજ કોઈ કારણોસર દાઝી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવારમાં હતો.જેનું તા.૨-૭ ના વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન અર્જુન માનબહાદૂર થાપા નામના નેપાળી યુવાનનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં બરોડાના રહેવાસી સ્મિત રાજેશભાઈ પંચાલ નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલ ખસેડાયો હતો.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના છાત્રાલય રોડના છેડે કંડલા બાયપાસ નજીક બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા સંજયભાઈ મનસુખભાઈ મગવાણીયા (ઉમર ૩૦) રહે.ભવાનીનગર અમરેલી રોડ મોરબી વાળાનું બાઈક અકસ્માતે ત્યાં સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા સંજયભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેને પગલે એ ડિવિઝન પોલીસ.મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં રાજકોટ ખસેડાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળીયા નજીક રહેતા હસનભાઈ બાદીભાઈ સમા નામના ૧૭ વર્ષના યુવાનને લીલાપર રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી.જેથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રએ જણાવેલ છે.








Latest News