મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનો દશાબ્દિ મહોત્સવ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની હાજરીમાં યોજાયો


SHARE











મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનો દશાબ્દિ મહોત્સવ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની હાજરીમાં યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામે છેલ્લા ૧૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ માટે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે ત્યારે તેના દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ માટે રહેવાની જે વ્યવસ્થા હાલમાં છે તે ઉપરાંત વધુ પ્રજ્ઞાચક્ષુ માટે નવું બિલ્ડીંગ દાતાઓના સહયોગથી હાલમાં બનાવવામાં આવી રહ્યું છે ત્યારે નવા બિલ્ડીંગ ખાતે દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર રાખવામા આવ્યો હતો તેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જંયતિભાઈ ભાડેશીયા, લક્ષ્મીનગરના સરપંચ બાલકૃષ્ણભાઈ, મોરબીની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે સંસાથના સંચાલક હાતીમભાઇએ જણાવ્યુ હતું કે, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં હાલ ૪૦ દંપતી રહી શકે તે માટે ફ્લેટ છે અને ૧૮૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ ત્યાં રહે છે જો કે, હાલમાં આર્યવ્રત સ્કૂલ પાસે જ ૧૦૦ ફ્લેટનું કામ ચાલુ છે અને તે ૭ કરોડના ખર્ચે બનશે અને તેના માટે સૌથી વધુ એક કરોડનું દાન ડો. કુસુમબેન અમૃતલાલ દોશી તરફથી આપવામાં આવ્યું છે અને દાતાઓ તરફથી દાન સતત આપવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા હાતિમભાઈ રંગવાલા અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર મોરબીના પ્રમુખ હરિશભાઈ શેઠ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News