મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખોખરા હનુમાન, જડેશ્વર મહાદેવ, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવાઈ


SHARE













મોરબી જિલ્લાના ખોખરા હનુમાન, જડેશ્વર મહાદેવ, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવાઈ

મોરબી જિલ્લા ઘણા દેવસ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટાભાગના દેવા સ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી

ખોખરા હનુમાન
મોરબી નજીકના ખોખરા હનુમાન હરિહર ધામમાં મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુરૂ પૂજન, ગુરૂ મહિમા સત્સંગ, સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ હતા ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈલાશ વિજયવર્ગીય, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરુ પૂજન કર્યું હતું

જડેશ્વર મંદિર
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મંદિરે પુજન અને દર્શન સહિતનો લાભ લીધો હતો તેવું મંદિરના મહંત અને ટ્રસ્ટ વતી જીતેન્દ્રપ્રકાશજી ત્રિવેદીએ જણાવ્યુ છે

રામધન આશ્રમ
મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવેશ્વરી માતાજીના શિષ્ય રત્નેશ્વરીબેન, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સ્થાનિક આગેવાનો અને સાયલા, ઇડર, રાજકોટ સહિતના સ્થળેથી ભક્તો આવ્યા હતા અને તમામે મહાપ્રસાદનો લાભ લીધો હતો તેવું મુકેશ ભગતે યાદીમાં જણાવ્યુ છે

શાંતિવન આશ્રમ
મોરબીના વીસીપરામાં ધોળેશ્વર સ્મશાન પાસે આવેલ સંત શિરોમણી કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમે દર વર્ષે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી ત્યારે ગુરુપૂજન, કથા તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમ યોજાયા હતા તેમજ બપોરે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો

ભીમનાથ મહાદેવ
મોરબી નજીકના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુ પૂજના, દેવ પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી  સંખ્યામાં લોકો જોડાયા હતા








Latest News