મોરબીના આલાપ પાર્કમાં રોડનું દબાણ દૂર કરવામાં-વરસાદી પાણીના નિકાલ કરવામાં તંત્ર વામણું પુરવાર !
મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન
SHARE
મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જયા પાર્વતીના વ્રતના જાગરણ નિમિત્તે બ્રાહ્મણોને જાગરણમાં અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે
પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તા ૫/૭ ને બુધવારના રોજ રાત્રી જાગરણનું આયોજન કરેલ છે ત્યારે પરશુરામ ધામ નવલખી રોડ ખાતે મહિલાઓ માટે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં બ્રાહ્મ સમાજની બહેન-દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા આમંત્રણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, દરેક સમાજ દ્વારા આવી રીતે પોતાના સમાજની દીકરીઓ અને મહિલાઓની સલામતીને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવે તો જાગરણની રાતે જે અનિચ્છનિય બનાવો બનતા હોય છે તેવા બનાવોને બનતા રોકી શકાય તેમ છે