વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર-સજનપર ગામે પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE













ટંકારાના છત્તર-સજનપર ગામે પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

ટંકારા તાલુકાનાં છત્તર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા જુદીજુદી ક્રુતિ પણ રજૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છત્તર ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી તરફથી બાલ વાટિકામાં પ્રવેશ મેળવેલ બાળકોને બેગ ભેટમાં આપી હતી આ તકે એસ.એમ.સી. ના સભ્યો જુણાત રોશનબેન, પરમાર નીરૂબેન, સુરાણી કૈલાશબેન હાજર રહ્યા હતા અને દાતા કોમલબેનનું શિક્ષિકા પીઠડીયા હીનાબેન દ્વારા સાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. આવી જ રીતે સજનપર પ્રા. શાળામાં પણ ગુરૂપૂર્ણિમા ઉજવવામાં આવી હતી ત્યારે બાળકોએ ગુતું પૂજન કર્યું હતું અને ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ શાળાના શિક્ષકો આદ્રોજા કેતનભાઈ અને કાવર માયાબેન દ્વારા બાળકોને એમના જીવનમાં ગુરુનું શુ મહત્વ હોય તેના વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું તો શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે વાત કરી હતી ત્યારે ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવ્યા છે






Latest News