મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર-સજનપર ગામે પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE













ટંકારાના છત્તર-સજનપર ગામે પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

ટંકારા તાલુકાનાં છત્તર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા જુદીજુદી ક્રુતિ પણ રજૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છત્તર ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી તરફથી બાલ વાટિકામાં પ્રવેશ મેળવેલ બાળકોને બેગ ભેટમાં આપી હતી આ તકે એસ.એમ.સી. ના સભ્યો જુણાત રોશનબેન, પરમાર નીરૂબેન, સુરાણી કૈલાશબેન હાજર રહ્યા હતા અને દાતા કોમલબેનનું શિક્ષિકા પીઠડીયા હીનાબેન દ્વારા સાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. આવી જ રીતે સજનપર પ્રા. શાળામાં પણ ગુરૂપૂર્ણિમા ઉજવવામાં આવી હતી ત્યારે બાળકોએ ગુતું પૂજન કર્યું હતું અને ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ શાળાના શિક્ષકો આદ્રોજા કેતનભાઈ અને કાવર માયાબેન દ્વારા બાળકોને એમના જીવનમાં ગુરુનું શુ મહત્વ હોય તેના વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું તો શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે વાત કરી હતી ત્યારે ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવ્યા છે








Latest News