મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક રિવર્સ લેતા સમયે યુવાનને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક ટ્રક રિવર્સ લેતા સમયે યુવાનને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાં વાહન રિવર્સમાં લેવડાવતા સમયે વાહન નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામે રહેતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ (૩૮) નું આવળ સર્વિસ સ્ટેશન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ છે અને ત્યાં વાહનને રિવર્સમાં લેવડાવવા માટેની કામગીરી થોડા દિવસ પહેલા કરતાં હતા ત્યારે વાહનમાં દબાઈ જવાથી દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના પિતા ચંદ્રસિંહ જયમલસિંહ રાઠોડ જાતે-કારડિયા રાજપુત (૬૪) રહે.  ટિંબડી વાળાએ ટાટા કંપનીના ટ્રક નં- આરજે ૧૯ જીએફ ૮૧૬૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ એસ.એન. સગારકાએ આ ગુનામાં આરોપી મુસેભાઈ હાજીભાઇ ખાં જાતે મુસ્લિમ (૪૦) ધંધો ડ્રાઇવિંગ રહે. જેસિયાત કી ઢાણી બાણ પાસ પોસ્ટ તાલુકો પાસપદરા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

મારામારીના બનાવમાં ઈજા
મોરબીના માધાપરા વિસ્તારની શેરી નંબર ૨૨ માં રહેતા રાજેશ સવજીભાઇ પીપળીયા નામના ૨૧ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે નિવેદનમાં જણાવ્યા મુજબ તે વીસીપરા વિસ્તારમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા લોકોના ટોળા દ્વારા તેને અટકાવીને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા થઈ હતી.જ્યારે મારામારીના બીજા બનાવમાં મોરબી તાલુકાના લીલાપર ગામે દિનેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા જીગ્નેશ વસ્તાભાઈ બામણીયા જાતે ઠાકોર નામના ૨૪ વર્ષના યુવાનને વાડીએ થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના એન.જ.ખડિયા દ્વારા બનાવની તપાસ ચલાવવામાં આવી હતી.તેમજ મારામારીનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના જુના સાદુરકા ગામે બન્યો હતો જેમાં મહેશ દેવશીભાઈ હળવદિયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News