મોરબીના આધેડ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પગથિયા ઉપર પડી જતા મોત
મોરબીના નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ
SHARE
મોરબીના નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ
મધુરમ ફાઉન્ડેશન દ્વારા મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના પ્રાણજીવન કાલરિયા તથા મોરબી ભારતીય કિશાન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહીને ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી, હવે શું કરવું જોઈએ તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલના પ્રમુખ પી.ડી.કાંજીયા, પ્રિન્સિપાલ વરુણ ભીલા, રાવલભાઈ તથા નવયુગ શૈક્ષણિક સંકુલનો અન્ય સ્ટાફગણ, પ્રભુભાઇ કડીવાર તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના હોદ્દેદારો ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક "જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ" ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું હતું અને આ સિવાય સગવડ ધરાવતા, વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું હતું જે વિદ્યાર્થીઓ શહેરમાં રહે છે અને જમીન ધરાવતા નથી તેવાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે કે સાર્વજનિક પ્લોટમાં વાવેતર કરવા શાકભાજી કે ફૂલછોડ વગેરેના કુંડામાં વાવી શકાય તેવા બીજ વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી ફ્રી આપવામાં આવ્યા હતા અને તે કોઈને જોઈતા હોય તો મોબાઇલ નંબર ૯૪૨૬૨ ૩૨૪૦૦ નંબર પર વોટ્સએપ કરવા જણાવ્યુ છે