મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પોક્સો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં પોક્સો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો

મોરબી પોકસો કોર્ટમાં કેસ નોંધાયો હતો અને પોકસો કેસમાં હાલમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ બનાવની ફરીયાદ એ મુજબની હતી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણમાંથી ભગાડી લઈ જઈ ગુનો કર્યો છે. આ કેસમાં તાલુકા પોલીસે આરોપી તરીકે દિલીપ ઉર્ફે જીગો સવજીભાઈ સુરેલાની ધરપકડ કરી હતી.બાદમાં આ આરોપીએ તેના કેસમાં બચાવમાં એડવોકેટ જીતેન અગેચાણીયા, કીશોર સુરેલા અને જે.ડી.સોલંકીને રોકયા હતા.

આ કેસમાં ફરીયાદી પક્ષે ફરીયાદી, તેમની ભોગ બનનાર દીકરી તથા અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાઓના અંતે આરોપી પક્ષના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે અને આ કામના ભોગ બનનાર તથા તેના પરીવાર દ્રારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદી પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને નામદાર કોર્ટે આરોપી દિલીપ સુરેલાને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કામે બચાવ પક્ષેથી એડ.જીતેન અગેચાણીયા, કીશોર સુરેલા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝંઝવાડીયા રોકાયેલા હતા.






Latest News