મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે રાહદારી યુવાનને બાઇક ચાલકે ઉડાવ્યો
મોરબીમાં પોક્સો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં પોક્સો કેસના આરોપીનો નીર્દોષ છુટકારો
મોરબી પોકસો કોર્ટમાં કેસ નોંધાયો હતો અને પોકસો કેસમાં હાલમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ બનાવની ફરીયાદ એ મુજબની હતી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી જાતીય સતામણી કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણમાંથી ભગાડી લઈ જઈ ગુનો કર્યો છે. આ કેસમાં તાલુકા પોલીસે આરોપી તરીકે દિલીપ ઉર્ફે જીગો સવજીભાઈ સુરેલાની ધરપકડ કરી હતી.બાદમાં આ આરોપીએ તેના કેસમાં બચાવમાં એડવોકેટ જીતેન અગેચાણીયા, કીશોર સુરેલા અને જે.ડી.સોલંકીને રોકયા હતા.
આ કેસમાં ફરીયાદી પક્ષે ફરીયાદી, તેમની ભોગ બનનાર દીકરી તથા અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાઓના અંતે આરોપી પક્ષના વકીલ દ્રારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધ અને વીપરીત હકીકત જણાવેલ છે અને આ કામના ભોગ બનનાર તથા તેના પરીવાર દ્રારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદી પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી.ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને નામદાર કોર્ટે આરોપી દિલીપ સુરેલાને નીર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.આ કામે બચાવ પક્ષેથી એડ.જીતેન અગેચાણીયા, કીશોર સુરેલા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝંઝવાડીયા રોકાયેલા હતા.