મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર રોડે કારખાનામાં દીવાલ તૂટીને કાટમાળ માથે પડતાં શ્રમિક યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપૂર રોડે કારખાનામાં દીવાલ તૂટીને કાટમાળ માથે પડતાં શ્રમિક યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં દિવાલ તૂટી પડી હતી ત્યારે દિવાલ પાસે બેઠેલ યુવાન ઉપર દિવાલનો કાટમાળ પડ્યો હોવાથી તેને શરીરે ઇજા થતાં તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી નો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ખાતે રહેતો અને મજૂરી કામ કરતો કરણસિંગ રૂમાલભાઈ પુનિયા (૩૩) નામનો યુવાન કારખાનામાં દિવાલ પાસે બેઠો હતો ત્યારે કોઈ કારણોસર અચાનક તે દિવાલ તૂટી પડી હતી અને દીવાલનો કાટમાળ તેની ઉપર પડતાં તે યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક યુવાનની બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા
મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો આસિફ ગુલામ અજમેરી (૩૩) નામનો યુવાન મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મહાદેવ મંદિર પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હોવાથી ઇજા ગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
દ્વારકામાં આવેલ ટીવી સ્ટેશન પાસે રહેતા નારણભાઈ તેજાભાઈ ચાંડપા (૨૧) મોરબીના માળીયા સામખીયાળી હાઈવે ઉપરથી સુરજબારી પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં આ યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News