મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારા : મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ


SHARE











ટંકારા : મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ

ટંકારાના મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ ગંભીર અકસ્માતમાં મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અઠડાઈ હતી જો કે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કારમાં સવાર ચાર વ્યક્તિમાંથી બેને ઇજા પહોંચી હોય ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી આગળ રાજકોટ તરફ જતી કારમાં સવાર કોઈ વ્યક્તિનો મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચારેક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં પુષ્પાબા બલભદ્રસિહ ઝાલા (ઉ.વ ૪૦) અને અનસોયાબા શક્તિસિંહ ઝાલા (ઉ.વ ૩૮) રહે.રાજકોટને નાની-મોટી ઈજાઓ થઈ હોય ૧૦૮ ને જાણ કરતા ટંકારાના પાયલોટ કિશનસિહ અને ઈએમટી વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ધાયલને સારવાર સાથે રાજકોટ દવાખાને ખસેડાયા હતા.

રામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેઇલ રોડ ઉપર ઠાકર લોજ પાછળ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ અગેચાણીયા નામના ૨૯ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.અમિતા અગેચાણીયા રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતો હોય અને તેને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા મારામારીના કારણ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વેદ ચંદુભાઈ વરમોરા નામના આઠ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ત્યાં રણમલપુર ગામે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.






Latest News