માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

ટંકારા : મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ


SHARE













ટંકારા : મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ

ટંકારાના મિતાણા નજીક મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ ગંભીર અકસ્માતમાં મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અઠડાઈ હતી જો કે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કારમાં સવાર ચાર વ્યક્તિમાંથી બેને ઇજા પહોંચી હોય ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી આગળ રાજકોટ તરફ જતી કારમાં સવાર કોઈ વ્યક્તિનો મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચારેક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં પુષ્પાબા બલભદ્રસિહ ઝાલા (ઉ.વ ૪૦) અને અનસોયાબા શક્તિસિંહ ઝાલા (ઉ.વ ૩૮) રહે.રાજકોટને નાની-મોટી ઈજાઓ થઈ હોય ૧૦૮ ને જાણ કરતા ટંકારાના પાયલોટ કિશનસિહ અને ઈએમટી વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ધાયલને સારવાર સાથે રાજકોટ દવાખાને ખસેડાયા હતા.

રામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના જેઇલ રોડ ઉપર ઠાકર લોજ પાછળ કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ અગેચાણીયા નામના ૨૯ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.અમિતા અગેચાણીયા રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતો હોય અને તેને મારામારીના બનાવમાં ઇજા થતા સારવારમાં ખસેડાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા મારામારીના કારણ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા વેદ ચંદુભાઈ વરમોરા નામના આઠ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ત્યાં રણમલપુર ગામે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.






Latest News