મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના માણેકવાડા ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરતાં ડીડીઓ


SHARE













હળવદના માણેકવાડા ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરતાં ડીડીઓ

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માણેકવાડા ગામના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકાના માણેકવાડા ગામમાં ૧૫માં નાણાપંચ (ગ્રામ્ય કક્ષા) વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત તળાવમાં વોશીંગ ઘાટ બનાવવાનું કામ મંજુર થયેલ છે. જે અન્વયે તાલુકા પંચાયત હળવદ દ્વારા વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. વોશીંગ ઘાટ બનાવવાનું આ કામ માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતની જાણ બહાર શરૂ કરીને આ કામમાં સિમેન્ટનાં બદલે માટીનો ગાર વાપર્યો હતો. જેથી આ કામ સ્થગિત કરાવીને તોડી પાડેલ છે અને કામનું રૂ. ૯૩,૩૦૦ નું ચુકવણું કરવામાં આવેલ નથી. તળાવમાં વોશિંગ ઘાટ બનાવવાનાં કામમાં નિયત થયા મુજબ સિમેન્ટનો ઉપયોગ ન કરીને માટીનો ઉપયોગ કરી હલકી ગુણવત્તા ધરાવતું કામ કર્યુ છે. આવું કરીને સરકારશ્રીને નાણાકીય નુકશાન પહોંચાડીને પોતાનો આર્થિક હિત સાધવાનો પ્રયત્ન કરેલ છે. આમ તેમણે સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું છે. આમ તમામ બાબતો ધ્યાને લેતા માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં ગેરવર્તન કર્યું હોય તેવું માલુમ પડે છે. તમામ આધાર-પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા હળવદ તાલુકાના માણેકવાડા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન વજાભાઈ કટોણાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી તેમણે ધારણ કરેલ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.






Latest News