મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નીમતે રસ ગરબા સહિતનું આયોજન કરાયું
SHARE
મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નીમતે રસ ગરબા સહિતનું આયોજન કરાયું
મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતીના રાત્રી જાગરણના દિવસે બહેનો દીકરીઓએ અન્ય કોઈ જગ્યાએ ન જવું પડે તે માટે મોરબી પરશુરામ ધામ ખાતે રાત્રી દાંડિયા રાસ અને ફળ આહારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં બ્રહ્મસમાજના બહેનો અને દીકરીઓ હાજર રહ્યા હતા ત્યારે સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ ગરબાની મજા માણી હતી આ તકે પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા અને જયદીપભાઇ મહેતા તેમજ તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી