મોરબી લોહાણા સમાજના આગેવાનોએ સી.એ. પરિક્ષા પાસ કરનાર અંકિત હિરાણીનું કર્યું સન્માન
મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર
SHARE
મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં ઔષધિય વનસ્પતિનું કરાયું વાવેતર
મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સ્વ. નિરજ વિનોદભાઈ મકવાણાની સ્મૃતિમાં વિનોદભાઈ પરબતભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા રામાપીરના મંદિર નકલંક ધામ નાની વાવડી ખાતે સાગ, શિવલિંગ, મધુનાશીની, કુંવારપાઠું, કાંચનાર, બીજોરું, ફણસ, હરડે, અરડુસી જેવી ૪૦ જેટલી ઔષધિય વનસ્પતિના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા, મંત્રી હિંમતભાઈ મારવણિયા,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, અશ્વિનભાઈ રાઠોડ, વિપુલભાઈ અમૃતિયા, વિનુભાઇ મકવાણા, રમેશભાઈ છૈયા, રાજેશભાઈ સુરાણીભાઈ, મહેશભાઈ મકવાણા તથા કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.