મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ: સાત સામે ફરિયાદ


SHARE













ટંકારાના ટોળ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ: સાત સામે ફરિયાદ

ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવાને સમયાંતરે રૂપિયાની જરૂર હતી ત્યારે ૮ અને ૧૦ ટકા વ્યાજે જુદા જુદા ત્રણ વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા અને તેની સામે તેણે વ્યાજ સહિતની રકમ આપી દીધી હોવા છતાં પણ વ્યાજે રૂપિયા આપનારા શખ્સો તથા તેના મળતીયાઓ દ્વારા તેની પાસેથી વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી  અને તેને ઘરે, દુકાને આવીને તેમજ ફોન ઉપર ગાળો આપીને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સાત શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અને ખેતી કામ કરતાં તેમજ આરટીઓ એજન્ટ તરીકેનું કામ કરતા મહમ્મદભાઈ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૦)એ હાલમાં મુકેશભાઈ ઝાપડા ટંકારા, કનુભાઈ ઝાપડા ટંકારા, રજાકભાઈ સમા ટંકારા, ગિરિરાજસિંહના ભાઈ તરીકે ઓળખાણ આપતી વ્યક્તિ, અંકિતભાઈ ચૌધરી ગાંધીધામ, મહેન્દ્રસિંહ ગોહિલ અને યોગેન્દ્રસિંહ ગોહિલ રહે. બંને ઘુનડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વ્યાજખોરના ત્રાસના કારણે તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેની જાણ તેને પોતાના મિત્ર નજરૂદ્દીનભાઈ ગનીભાઈ બાદીને ફોનથી કરી હતી જેથી કરીને ૧૦૮ મારફતે તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે

દરમિયાન જે યુવાને ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી યુવાને જણાવ્યું છે કે ટંકારાના મુકેશભાઈ ઝાપડા પાસેથી ૧૦ લાખ રૂપિયા ૧૦ ટકા લેખે, ઘુનડા ગામના મહેન્દ્રસિંહ ગોહિલ પાસેથી ત્રણ લાખ રૂપિયા ૧૦ ટકા લેખે અને યોગેન્દ્રસિંહ ગોહિલ પાસેથી અઢી લાખ રૂપિયા ૮ ટકા લેખે તેને વ્યાજે લીધા હતા અને તેઓનું વ્યાજ સહિતની રકમ આપી દીધી હોવા છતાં પણ આ શખ્સો અને તેના મળતીયાઓ દ્વારા અવારનવાર તેને ઘરે આવીને, ફોન કરીને તથા વાંકાનેરમાં આવેલ તેની દુકાને આવીને વ્યાજ તથા મુદ્દલ રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપીને ગાળો આપતા હતા જેથી ભોગ બનેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સાત શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News