મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેને લાગી આવતા તે યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બરોલીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં ઈશ્વરભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો સમીરભાઈ શંકરભાઈ નાયક (૩૯) નામનો યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનું તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક આવે દેવ હોટલ ખાતે નાસ્તો કરવા માટે ઉભા રહેલા ટ્રક ચાલક રમેશસિંગ હેમસિંગ રાજપુત (૪૦) રહે.અંબાભારા તાલુકો ભટાના જીલ્લો રાજસમજ રાજસ્થાન વાળાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી ટ્રક ચાલકો દ્વારા તેને માળિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવતો હતો.તે દરમિયાનમાં તેનું મોત નીપજયુ હતું અને ત્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, છાતીમાં અચાનક દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના લીધે રમેશસિંહ રાજપૂત નામના રાજસ્થાની ડ્રાઇવરનું મોત નિપજયુ હતું.






Latest News