મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?


SHARE















મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?

મોરબી શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ લોકોને રસ્તા ઉપરથી અવરજવર કરવું માથાના દુખાવા સમાન બની જાય છે અને વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વર્ષો જૂનો પ્રશ્ન હોવા છતાં પણ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ કે વિકાસ સમિતિ દરેકનું શાસન આવી ગયું છે તો પણ પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે આજની તારીખે મોરબીના ચોક્કસ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ જવાબદાર અધિકારી, પદાધિકારી કે ઇજનેરો કાઢી શક્યા નથી તે નારી વાસ્તવિકતા છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા પગારમાં અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવે છે તેમજ જુદી જુદી ગ્રાન્ટના સ્વરૂપે કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, લોકોની સુખાકારીમાં લેસ માત્ર વધારો થતો હોય તેવું દેખાતું નથી !. જો વાત કરીએ મોરબીના તખતસિંહજી રોડની તો મોરબીના આ રોડ ઉપર જ્યાં વેપારીઓની દુકાન આવેલ છે ત્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય અને બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડે એટલે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારી, પદાધિકારી કે કર્મચારીઓ આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી શક્યા નથી ? મોરબીમાં શનિવારે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે હાલમાં તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તે રીતે પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલતા લોકોને વાહન લઇને નીકળવું પણ માથાના દુખાવો સમાન બની ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એવો થાય છે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારી કેમ વર્ષો જૂના પ્રશ્ન ઉકેલવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે






Latest News