મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?


SHARE









મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?

મોરબી શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ લોકોને રસ્તા ઉપરથી અવરજવર કરવું માથાના દુખાવા સમાન બની જાય છે અને વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વર્ષો જૂનો પ્રશ્ન હોવા છતાં પણ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ કે વિકાસ સમિતિ દરેકનું શાસન આવી ગયું છે તો પણ પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે આજની તારીખે મોરબીના ચોક્કસ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ જવાબદાર અધિકારી, પદાધિકારી કે ઇજનેરો કાઢી શક્યા નથી તે નારી વાસ્તવિકતા છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા પગારમાં અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવે છે તેમજ જુદી જુદી ગ્રાન્ટના સ્વરૂપે કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, લોકોની સુખાકારીમાં લેસ માત્ર વધારો થતો હોય તેવું દેખાતું નથી !. જો વાત કરીએ મોરબીના તખતસિંહજી રોડની તો મોરબીના આ રોડ ઉપર જ્યાં વેપારીઓની દુકાન આવેલ છે ત્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય અને બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડે એટલે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારી, પદાધિકારી કે કર્મચારીઓ આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી શક્યા નથી ? મોરબીમાં શનિવારે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે હાલમાં તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તે રીતે પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલતા લોકોને વાહન લઇને નીકળવું પણ માથાના દુખાવો સમાન બની ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એવો થાય છે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારી કેમ વર્ષો જૂના પ્રશ્ન ઉકેલવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે






Latest News