મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા


SHARE







ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા

ટંકારા તાલુકાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ યોજેલા કેમ્પનો અંદાજે ૩૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેપમાં સર્વ જ્ઞાતિના દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી આ તકે થાક લાગવો, હાથ પગની ખાલી ચડવી જવી, હાથ પગ ઠંડા પડી જવા, ચક્કર આવવાં, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુઃખાવો થવો, માથામાં દુઃખાવો થવો, ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો, વાળ ખરવા અને બેચેની લાગવી, ડિપ્રેશન થવું સહિતના દર્દીઓ આવ્યા હતા તેમજ લોકોને વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો






Latest News