ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો
ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા
SHARE
ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા
ટંકારા તાલુકાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ યોજેલા કેમ્પનો અંદાજે ૩૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેપમાં સર્વ જ્ઞાતિના દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી આ તકે થાક લાગવો, હાથ પગની ખાલી ચડવી જવી, હાથ પગ ઠંડા પડી જવા, ચક્કર આવવાં, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુઃખાવો થવો, માથામાં દુઃખાવો થવો, ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો, વાળ ખરવા અને બેચેની લાગવી, ડિપ્રેશન થવું સહિતના દર્દીઓ આવ્યા હતા તેમજ લોકોને વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો









