ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા


SHARE













ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા

ટંકારા તાલુકાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ યોજેલા કેમ્પનો અંદાજે ૩૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેપમાં સર્વ જ્ઞાતિના દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી આ તકે થાક લાગવો, હાથ પગની ખાલી ચડવી જવી, હાથ પગ ઠંડા પડી જવા, ચક્કર આવવાં, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુઃખાવો થવો, માથામાં દુઃખાવો થવો, ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો, વાળ ખરવા અને બેચેની લાગવી, ડિપ્રેશન થવું સહિતના દર્દીઓ આવ્યા હતા તેમજ લોકોને વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો






Latest News