મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE















ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

ટંકારા પાસે આવેલ રામાપીર મંદિર આશ્રમમાં મહંત શ્રી કુંવરદાસ બાપુ તથા મુખ્ય વક્તા વિજયભાઈ રાવલ તથા ટંકારા તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો આગેવાનોએ જીવનમાં ગુરુનું મહત્વ સમજાવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું  ત્યારબાદ શિક્ષકો માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંપ્રત સમયમાં કરવામાં આવેલી કામગીરીની છણાવટ કરી હતી, OPS  મેળવવા માટે આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવામાં આવશે...? તેની ચર્ચા કરી હતી, ટંકારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મંત્રી કેળવણી નિરીક્ષક, આચાર્ય રસિકભાઈ ભાગ્યા દ્વારા સદસ્યતા અભિયાનને વેગવંતુ કઈ રીતે બનાવી શકાય...? તેની વિસ્તૃત ચર્ચા કરી હતી, આચાર્ય ચેતનભાઇ ભાગ્યા દ્વારા વહીવટી પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય...? તેની વાત કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીપર પ્રાથમિક શાળાના આચાર્ય બૌદ્ધિક સંભાગના મંત્રી સતિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમને સફળ બનાવવા સંઘના તમામ કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી






Latest News