મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ


SHARE













મોરબી સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ સ્થાન મેળવેલ છે અને શાળા પરિવારનુ નામ રોશન કર્યું છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા તાજેતરમાં મહર્ષિ અરવિંદ ઘોષની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકલા ની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. અને જિલ્લા કક્ષાની સ્પર્ધાએ પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. જેમાં સાર્થક વિદ્યામંદિરના ગૌરવ સમાન રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની  સમગ્ર ગુજરાતના માન અને ગૌરવમાં વધારો કર્યો છે રાજ્યકક્ષાની દરેક સ્પર્ધાના ટોપ ટેન વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા પોંડીચેરી ખાતે સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને વિશ્વપ્રસિદ્ધ ઓરોવીલે ફાઉન્ડેશનની મુલાકાત અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં  રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ઓરોવીલે ફાઉન્ડેશનના ચીફ સેક્રેટરી અને રાજ્ય સરકારના સનદી અધિકારી ડો. જયંતિ રવિએ આ પ્રયાસને બિરદાવ્યો હતો નોંધનીય છે કે ગાંધીનગરના DYDO તેજલબેન ,ભરૂચના DYDO મિતલબેન ગવલી, તાપીના DYDO અમૃતાબેન ગામીત ખેડાના PYDO યોગેશ મોદી તેમજ જીગર રાણાના દેખરેખ હેઠળ  દરેક વિજેતાઓને વિવિધ સ્થળોની મુલાકાત કરાવીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ રાહુલભાઈ ઝીંઝુવાડીયા મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પોતાની શિક્ષણ સેવા આપી રહ્યા છે. રાહુલભાઈના આ પ્રયત્નોમાં  શાળાના સંચાલક કીશોરભાઈ શુકલ તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી ઉત્તમ સાથ- સહકાર મળી રહ્યો છે. આ તકે શાળાના સંચાલક, વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News