મોરબી સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ
મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા ટીમની જાહેરાત કરાઇ
SHARE
મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા ટીમની જાહેરાત કરાઇ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના પાંચેય તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી છે ત્યારે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં મેમ્બર અક્ષિતસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા યુવા પાંખના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જીલ્લા યુવા પાંખના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા પાંખના પ્રમુખ દિવ્યરજસિંહ જાડેજા, માળીયા તાલુકા યુવા પાંખના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, ટંકારા તાલુકા યુવા પાંખના પ્રમુખ જયદીપસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલા, હળવદ તાલુકા યુવા પાંખના પ્રમુખ તરીકે યશરાજસિંહ રાણા ની વરણી કરવામાં આવેલ છે આ તકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, જીલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા, મહામંત્રી રાજવીરસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહજી ઝાલા (રંગપર), મોરબી મહિલા સંઘના પ્રમુખ બાશ્રી જયશ્રિબા ઝાલા, યુવાસંઘના સિનિયર મહામંત્રી જયેન્દ્રસિંહ જાડેજા, માળીયા પ્રમુખ વનરાજસિંહ જાડેજા, હળવદ પ્રમુખ વિજયસિંહ ઝાલા, વાંકાનેર પ્રમુખ રાજભા જાડેજા, ટંકારા તાલુકાના પ્રભારી રૂપસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અને નીરુભા ઝાલાએ યુવાસંઘની કાર્યપ્રણાલી અને સમાજ ઉપયોગી કાર્ય વિશે વાત કરી. આ કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મંત્રી મહાવીરસિંહ ઝાલા (સરધારકા)એ કર્યું હતું.