મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા ટીમની જાહેરાત કરાઇ
મોરબીના અમરાપર ગામે અકળ કારણોસર ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE
મોરબીના અમરાપર ગામે અકળ કારણોસર ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબી તાલુકાના અમરાપર ગામે માવતરને ઘરે પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર ગામે માવતરને ત્યાં આવેલા વર્ષાબેન ભાવેશભાઈ ચૌહાણ (૨૭) નામની પરણીતાએ માવતરના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઉલ્ટીઓ થવા લાગી હતી અને મો માંથી ફીણ નીકળવા લાગ્યા હતા જેથી કરીને તેણીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
બે બોટલ દારૂ
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હોય પોલીસે ૧૦૪૦ ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી કાર્તિકભાઇ ઉર્ફે લાલો ચુનીભાઇ પરમાર જાતે લુહાર (૩૨) રહે. મહાકાળી ચોક મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ વચ્ચે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે