મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં જતાં યુવાનને માર મારીને હત્યા: ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE















મોરબી નજીક કારખાનામાં જતાં યુવાનને માર મારીને હત્યા: ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે બાબતે કારખાનાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોતાના કારખાનેદારને જાણ કરવામાં આવી હતી અને બાદમાં તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવી તેના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી હતી અને યુવાનને માર મરવામાં આવ્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની શંકા હતી જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસે હાલમાં બિસ્કોન સિરામિકના સિક્યુરિટી ગાર્ડ સાહિત ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કયું સેવન સીરામીક નજીકથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ત્યાંના સિક્યુરિટી ગાર્ડ રજનીભાઈ રૂપાલા રહે. અંદરણા વાળાએ કારખાનેદરને જાણ કરી હતી અને બાદમાં આ બાબતે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને મૃતકને માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમુક ઈસમોએ મૃતક યુવાનને માર માર્યો હોવાની વાત સામે આવી રહી હતી જેથી મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટના આધારે પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં આ બનાવમાં રણજીતભાઈ પરવાસીયા મોલ જાતે સબર (૪૧) રહે હાલ સીમસ્ટોન સીરામીક લેબર કવાર્ટર વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ તાલુકો વાંકાનેર મૂળ રહે ઓરિસ્સા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ વસુનિયા, રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશી રહે. ત્રણેય બિસ્કોન સીરામીક નીચી માંડલ નજીક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મરણ જનાર ટિક્કીસિંગ ચેતન્યસિંગ બીસ્કોન સીરામીક કારખાનામાં જવા માંગતો હોય બીસ્કોન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આરોપી મહેશભાઈ વસુનીયા સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહેશભાઈ વસુનીયાએ રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશીને બોલાવ્યા હતા અને તે ત્રણેય મળીને હાથેથી તથા લાકડી વડે ટિક્કીસિંગને માર માર્યો હતો જેથી કરીને ટિક્કીસિંગનું મોત નીપજ્યું હતું હાલમાં પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે






Latest News