ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા


SHARE













ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીને ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરી હતી અને મૃતક યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વિસેરા લઈને ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના વિસ્તારમાં આવેલ રણછોડનગરમાં રહેતા પ્રેમજીભાઈ વશરામભાઈ વિજવાડીયા જાતે કોળીની ૧૭ વર્ષની દીકરી કાજલબેન તેના મોટા બહેન ઘુનડા (સ) ગામે રહેતા હોય ત્યાં ગઈ હતી અને દરમિયાન તેને ત્યાં કોઈ કારણોસર ઝાડા ઉલટી થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર ડોક્ટરે યુવતીને જોઈ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી જોકે યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા લેવામાં આવ્યા છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વૃદ્ધાનું મોત
મોરબીના સામાકાંઠે સોઓરડી મેઇન રોડે આવેલ પોસ્ટ ઓફિસની સામેના ભાગે રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા શર્મિલાબેન જમનાદાસ મોરી જાતે પટેલ નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને બીમારી સબબ બેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જયાં તેઓને મૃત જાહેર કરાયા હતા અને બનાવ સંદર્ભે સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમા ઈજા
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા કાસમભાઇ યાકુબભાઈ કચ્છી નામના ૪૨ વર્ષના યુવાનને રેલ્વે પાટા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News