ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવા કામગીરી


SHARE













મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવા કામગીરી

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત  પ્રા.આ.કે. પીપલીયારાજના મેડિકલ ઓફિસર ડો.ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન સર્વેનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી.ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે.ડેન્ગ્યુના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે.ડેન્ગ્યુ રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો, ફ્રીજ નિચે જમા થતુ પાણી દરોજ ખાલી કરો તેમજ તેની નિયમિત સફાઇ કરો.નકામા ટાયર સહીતનો ભંગાર ચોમાસા દરમિયાન નિકાલ કરો તે બચવા માટેના શ્રેષ્ઠ ઉપાયો છે






Latest News