ટંકારાના ઘુનડા (સ) ગામે બહેનના ઘરે ગયેલ યુવતીનું ઝાડા ઉલ્ટી બાદ મોત: વીસેરા લેવાયા
મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવા કામગીરી
SHARE
મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવા કામગીરી
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત પ્રા.આ.કે. પીપલીયારાજના મેડિકલ ઓફિસર ડો.ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન સર્વેનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી.ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે.ડેન્ગ્યુના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે.ડેન્ગ્યુ રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો, ફ્રીજ નિચે જમા થતુ પાણી દરોજ ખાલી કરો તેમજ તેની નિયમિત સફાઇ કરો.નકામા ટાયર સહીતનો ભંગાર ચોમાસા દરમિયાન નિકાલ કરો તે બચવા માટેના શ્રેષ્ઠ ઉપાયો છે









