માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દિકરીને અપશુકન માનીને ઘરમાંથી કાઢી મૂકતાં માં-બાપને માવતરની સમજ આપતી ૧૮૧ ની ટીમ


SHARE







મોરબીમાં દિકરીને અપશુકન માનીને ઘરમાંથી કાઢી મૂકતાં માં-બાપને માવતરની સમજ આપતી ૧૮૧ ની ટીમ

ભારત દેશમાં આઝાદીમા ૭૫ વર્ષ બાદ હજુ પણ ગામડાંઓના વિસ્તારોમાં અંધશ્રદ્ધા પ્રચલિત જોવા મળે છે.આવો જ એક કિસ્સો મોરબી પંથકમાં બન્યો હચો જેમાં રાત સમયમાં મોરબીના એક ગામડામાંથી સરપંચનો ફોન આવેલ કે એક નાની દીકરીને તેના માતા-પિતા મારપીટ કરે છે.જમવાનું આપતા નથી અને ઘરમાં રાખતા નથી તો તેની મદદ કરવા માટે આવો એટલી વાત મળતા મોરબી ૧૮૧ ટીમના કાઉન્સિલર જીનલબેન અને કોન્સ્ટેબલ જયોત્સનાબેન સ્થળ ઉપર ગયા હતા.

ત્યાં ગયા બાદ જાણવા મળેલ કે દીકરીની ઉંમર તો ફક્ત છ વર્ષની જ છે અને તેના માતા-પિતા તેને રાખવા માટે ના પાડે છે.વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળેલ કે તેણીના માતા-પિતા અંધશ્રદ્ધામાં વધુ માને છે દીકરીનો જન્મ કાળી ચૌદસના દિવસે થયેલ જે દિવસને તેઓ ખરાબ માને છે અને વધુમાં તે દીકરીના જન્મના ૧૫ દિવસ પછી દીકરીની માતાને મોંઢાનું કેન્સર થયેલ એટલે તે લોકો માને છે કે આ દીકરીના પગલાં ઘરમાં પડવાથી તેમના જીવનમાં મુશ્કેલી આવેલ છે.એટલું સાંભળતા જ ૧૮૧ ની ટીમે દીકરીના માતા-પિતાને મળીને દીકરીને ન રાખવાનું કારણ પૂછ્યું તો  તેમને જણાવેલ કે દીકરી અમારી વાત નથી માનતી અને આ દીકરી કાળી ચૌદસના દિવસ જન્મી છે.તો ૧૮૧ ની ટીમે તેમને સમજાવેલ છે જન્મ અને મુત્યુ કોઈના હાથમાં નથી હોતુ અને આ તમારી દીકરી હજુ છ વર્ષની છે તો તમારી બધી વાતો કઈ રીતે માનશે? અને કાળી ચૌદસના દિવસે જન્મેલા કોઈ માણસો કોઈની જિંદગીમાં કાળ લઈને નથી આવતા અને તમે ગુટકા અને માવો ખાવ છો તો તમારે મોઢાનું કેન્સર જ થવાનું છે.તો તમે બધો આક્ષેપ દીકરી ઉપર ન નાંખો અને આવી ખોટી અંધશ્રદ્ધામાં રહેવાની જરૂર નથી હવે પછી તમારી દીકરી પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થવો જોઈએ નહિ અને દીકરીને સ્કૂલમાં ભણવા માટે મોકલજો આવી રીત તે દીકરીના માતા-પિતાનું કાઉન્સેલીંગ કરીને સમજાવેલ.આમ ૧૮૧ ની ટીમે દીકરીની જિંદગી સુધારવાનો પ્રયત્ન કરેલ અને માં-બાપની ફરજ ભૂલી ગયેલા માં-બાપને તેમની ફરજ યાદ અપાવેલ.આવી રીતે મોરબી ૧૮૧ ટીમે સહાનીય કામગીરી કરી હતી






Latest News