મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણના લીધે ઘરેથી ગુમ થયેલ યુવાન પાંચ મહિના બાદ પરત ફર્યો


SHARE







મોરબીમાં આર્થિક સંકળામણના લીધે ઘરેથી ગુમ થયેલ યુવાન પાંચ મહિના બાદ પરત ફર્યો

મોરબીના નાનીવાવડી ગામે રહેતા અને મૂળ બગથળાનો દરજી યુવાન પાંચ માસ પહેલા ઘરે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જે પાંચ મહીને ઘરે પરત ફર્યો છે.તે યુવાનની જેતે સમયે રૂા.૧૯ લાખની લોન પાસ થયેલી હોય તે ઘરેથી બેંકના કાગળ લઇને બેંકે જાંઉ છું તેમ કહીને નીકળ્યા બાદ તે દરજી યુવાન ગુમ થઈ જતા પોલીસ તપાસ કરતી હતી દરમિયાનમાં યુવાન જાતે ઘકે આવીને પોલીસમાં નિવેદન આપવા રજૂ થયો હતો.

મોરબીના નાની વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલની પાસેની ખોડીયાર ડેરી નજીક રહેતા અને ઘરની પાસે જ મામા સિલેક્શન નામે દરજીકામની દુકાન ધરાવતો સુરેશ નંદલાલ ગંગારામ ધામેચા દાતે દરજી (ઉમર ૩૯) મૂળ રહે. બગથળા તા.જી.મોરબી નામનો યુવાન ગત તા.૧૯-૨ ના બપોરના એકાદ વાગ્યા બાદથી ગુમ થઈ ગયો હતો જેથી તેની માતા ભારતીબેન નંદલાલ ધામેચા જાતે દરજી (૫૫) રહે.ખોડીયાર ડેરી નજીક સમજુબા સ્કૂલ પાસે નાની વાવડી વાળાઓએ પોલીસમાં પુત્ર ગુમ થયો હોવાની જાણ કરી હતી.સુરેશ નંદલાલ ધામેચા નામનો દરજી યુવાન તા.૧૯-૨ ના રોજ રાબેતા મુજબ ઘરેથી તેની દરજીકામની દુકાને ગયો હતો અને સવારે દુકાને ગયા બાદ પરત ઘરે બેન્કના કાગળો લેવા આવ્યો હતો અને કાગળ લઈને ઘરેથી ૧૧ વાગ્યે બેંકે જાવ છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદમાં તે ગુમ થઈ ગયો હતો.તેણે બેંકમાંથી ૧૪ લાખની લોન લીધી હતી અને તે લોન ભરવા માટે તેણે અન્ય ખાનગી બેંકમાંથી રૂપિયા ૧૯ લાખની લોન મૂકી હતી જે પાસ થઈ હતી જેથી આગલી લોન તેને ચૂકવી દીધી હતી અને બાકીના પાંચ લાખનો ચેક આપવા માટે બેંકવાળાઓ તેને ચેક આપવાના હતા દરમિયાનમાં તે બેંકના કાગળ લઈને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.

ગુમ થયેલ સુરેશભાઈ ધામેટા ગઈકાલ તા.૧૩-૭ ના પોતાની મેળે ઘરે આવ્યા હતા અને પોલીસમાં જાણ થતા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે આવ્યા હતા.જેમાં તેઓએ તપાસ અધિકારી એ.એમ.જાપડીયા સમક્ષ વર્ણવ્યું હતું કે પોતાને દરજીકામનો ધંધો હતો જે બરોબર ચાલતો ન હોય એને પૈસાની સતત તંગી રહેતી હતી જેથી ઘરેથી કોઈને કંઈક કર્યા વગર પોતે રિક્ષામાં બેસીને વાંકાનેર ગયો હતો અને ત્યાંથી તે રાજસ્થાન ધંધાની શોધ માટે ગયો હતો ત્યાં પોણા બે મહિના રોકાયા છતાં પણ કોઈ કામ ધંધો મળ્યો ન હતો અને તેણે પોતાનો મોબાઈલ પણ વેચી નાખ્યો હતો.બાદમાં તે રાજસ્થાનથી મહારાષ્ટ્રના ઓરંગાબાદ ગયો હતો અને ત્યાં થોડો સમય રોકાયા બાદ કંઈ કામ ન મળતા અંતે રાહદારી પાસેથી ફોન માગીને પોતાની પત્નીને વાત કરી હતી અને પોતે પરત ઘરે આવ્યો હતો હાલ પોલીસ સમક્ષ તેણે ઉપરોક્ત હકીકત વર્ણવતા પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તજવીડ હાથ ધરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીનાએસપી રોડ ઉપર રહેતા માણેકબેન અંબારામભાઈ અઘારા નામના ૭૦ વર્ષના વૃદ્ધા એસપી રોડ ઉપર સોસાયટી વિસ્તારમાં બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.તે દરમિયાનમાં રોડ ઉપરના સ્પીડ બ્રેકરમાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ચાંચાપર ગામે સુંદરમ ફાર્મ નજીક રહેતા પ્રવીણભાઈ કાંતિભાઈ સાણંદિયા નામના ૪૩ વર્ષના યુવાનને તેના ફાર્મ નજીક છ-સાત લોકો દ્વારા માર મારવામાં આવતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ મારામારીના કારણ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી






Latest News