મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ


SHARE













મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ

મોરબી નજીકના ગાળા ગામની પંચાયતની બોડી તેમજ ગામના પટેલ સમાજના લોકોની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે અને ખોટી તેમજ મનઘડત પાયા વિહોણી ફરિયાદ ગામના અનુ. જાતિના લોકો કરી રહ્યા છે જેથી કરીને ગામના લોકો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને યોગ્ય તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના ગાળા ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ગામના અનુ. જાતીના લોકો દ્વારા ગ્રામ પંચાયત બોડી અને ગામના લોકોની સામે ખોટી ફરિયાદ કરીને હેરાન કરવામાં આવે છે અને ખોટી એટ્રોસીટી ફરિયાદની ધમકી આપવામાં આવે છે તેમજ ગાળા ગામના રસ્તા પર દબાણ કરેલ હતા તેનું જીલ્લા પંચાયત કચેરી દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું છે અને દબાણ દુર કરવામાં આવ્યા છે તો પણ ગામના જીતીય રાહુલ કેશવજીએ કલેકટર કચેરીમાં તા. ૧૩ જુલાઈના રોજ ગાળા ગામના નાગરિકો પર અસ્પૃશ્યતા અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવાની પાયાવિહોણી અરજી કરેલ છે વધુમાં કહ્યું હતુ કે, ગામના લોકોએ કોઈ પ્રકારનું ગેરવર્તન કર્યું નથી અને કોઇપણ સામાજિક કાર્યમાં ગ્રામજનો સહકાર આપે છે અને તાજેતરમાં અનુ.જાતિની ૧૧ દીકરીના સમૂહ લગ્નનું આયોજન રાહુલ જીતીયાએ કર્યું હતું જેમાં ગામના સરપંચ અને ઉદ્યોગપતિઓએ ફાળો આપ્યો હતો અને ગ્રામ પંચાયતના ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્મશાન પર સંરક્ષણ દીવાલ અંગેની ગ્રાન્ટ બે લાખ આપવામાં આવી છે તેમજ પેવર બ્લોકની ગ્રાન્ટ અઢી લાખ આપવામાં આવી છે તે સહિતના કામ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈપણ તથ્ય વગરની કે પછી પાયા વિહોણી ફરિયાદ ધ્યાને ના લેવા અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવા હાલમાં ગામના લોકોએ રજૂઆત કરી છે






Latest News