મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી દુકાનમાં વેપારીએ અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના રંગપર પાસે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી દુકાનમાં વેપારીએ અંતિમ પગલું ભર્યું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે યોગી કોમ્પલેક્ષની દુકાનમાં વેપારીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં રહેતો હતો અને દરમિયાન તેને અંતિમ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ હરેશભાઈ લોદરીયા જાતે પટેલ (૨૫)એ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલી યોગી કોમ્પલેક્ષની દુકાન નંબર-૧૧ માં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને લીલાધરભાઇ રેવાભાઇ ચીખલીયા જાતે પટેલ (૬૨) રહે. શિવમ સોસાયટી પંચાસર રોડ વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, મૃતક યુવાનનો છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધો બરાબર ચાલતો ન હતો અને ઘણા સમયથી તે ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે જેની અંગેની નોંધ કરી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે






Latest News