મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં વીમા કંપનીએ વીમો નામંજૂર કર્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો


SHARE











મોરબીમાં વીમા કંપનીએ વીમો નામંજૂર કર્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો

મોરબીમાં અકસ્માત બાદ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ગ્રાહકને ના પડી હતી જેથી કરીને ગ્રાહકે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મદદ લીધી હતી અને તેના મારફત વીમા કંપની સામે દાવો દાખલ કર્યો હતો જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને ૧.૨૫ લાખ અને ૧૦ હજાર ખર્ચના કેઇસ દાખલ તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ થી આઠ ટકાના વ્યાજ સાથે આપવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં રહેતા કુલદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલાનું વાહન રંગપર રોડ ઉપર કન્ટેનર સાથે અથડાયું હતી જેથી કરીને વાહનને નુકશાન થયેલ હતું અને કુલદિપસિંહ ઝાલાએ તાત્કાલીક વીમા કંપનીને જાણ કરેલ હતી અને તમામ કાગળો રજુ કરેલ હતા. તો પણ વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો આપવાની ના પાડેલ હતી. તેથી તેણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરેલ કોર્ટે વીમા કંપનીને જણાવેલ હતું કે, ગ્રાહકે વીમો ભરેલ છે અને સમય મર્યાદામાં તમામ કાગળો મહેતા કન્સલટીંગ દ્વારા રજુ કરેલ છે. વીમા કંપનીની સેવામાં ખામી છે વીમા કંપનીએ આપેલ કારણો ગ્રાહક અદાલતે માન્ય રાખેલ નહી અને કુલદીપસિંહ ઝાલાને ૧.૨૫ લાખ અને ૧૦ હજાર કેઇસ દાખલ તારીખથી વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે. 






Latest News