મોરબીમાં અજુગતા પગલા ભરનાર બે યુવાનોને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા
મોરબીમાં વીમા કંપનીએ વીમો નામંજૂર કર્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો
SHARE
મોરબીમાં વીમા કંપનીએ વીમો નામંજૂર કર્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો
મોરબીમાં અકસ્માત બાદ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ગ્રાહકને ના પડી હતી જેથી કરીને ગ્રાહકે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની મદદ લીધી હતી અને તેના મારફત વીમા કંપની સામે દાવો દાખલ કર્યો હતો જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને ૧.૨૫ લાખ અને ૧૦ હજાર ખર્ચના કેઇસ દાખલ તા. ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ થી આઠ ટકાના વ્યાજ સાથે આપવાનો આદેશ કરેલ છે.
મોરબીમાં રહેતા કુલદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલાનું વાહન રંગપર રોડ ઉપર કન્ટેનર સાથે અથડાયું હતી જેથી કરીને વાહનને નુકશાન થયેલ હતું અને કુલદિપસિંહ ઝાલાએ તાત્કાલીક વીમા કંપનીને જાણ કરેલ હતી અને તમામ કાગળો રજુ કરેલ હતા. તો પણ વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો આપવાની ના પાડેલ હતી. તેથી તેણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરેલ કોર્ટે વીમા કંપનીને જણાવેલ હતું કે, ગ્રાહકે વીમો ભરેલ છે અને સમય મર્યાદામાં તમામ કાગળો મહેતા કન્સલટીંગ દ્વારા રજુ કરેલ છે. વીમા કંપનીની સેવામાં ખામી છે વીમા કંપનીએ આપેલ કારણો ગ્રાહક અદાલતે માન્ય રાખેલ નહી અને કુલદીપસિંહ ઝાલાને ૧.૨૫ લાખ અને ૧૦ હજાર કેઇસ દાખલ તારીખથી વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.